ITMનાં ડાયરેક્ટર ડો. બાબા પાઈ. ITM યુનિવર્સને ભાવી પેઢી માટે સુંદર બનાવવા માટે રાત -દિવસ એક કરે છે.
હું ઘણા વર્ષોથી વિવિધ કરિયરલક્ષી યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસના વર્ગો લઉં છું. મારું કાર્ય ક્ષેત્ર ભુજથી શરુ થઇ રાજકોટ, વડોદરા , અમદાવાદ , ગુજરાત અને મુંબઈ સુધી છે. જયારે હું કોઈ પણ વ્યક્તિને બદલતી , વિકસતી જોંઉ છું. ત્યારે આનંદનો અનુભવ થાય છે. ઘણા મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક એવું માને છે
" વ્યક્તિત્વ બદલવું મુશ્કેલ કામ છે"
હું આ વાતનો સ્વીકાર કરું છું પણ આપણે ઈચ્છા શક્તિનો ઉપયોગ કરીને આપણા વ્યક્તિત્વને સમાજ ઉપયોગી બનાવી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે " આપણે આત્મવિકાસ કરી આપણા આત્મામાંથી અનંત શક્તિ મેળવી શકીએ છીએ અને વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ છીએ. ડો. બાબા પાઈને મેં ITM યુનિવર્સીટીમાં મોડી સાંજ સુધી કામ કરતાં જોયાં છે. એક સરકારી ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ ધારે તો પ્રાઈવેટ ક્ષેત્રમાં સફળ થઇ શકે છે. તેનું તેઓ ઉદાહરણ છે. ડો. બાબા પાઈ મને વધુ કામ કરવાની પ્રેરણા આપે છે.
મેં થોડા સમય પહેલાં ITM યુનિવર્સમાં ૨ સેમીનાર કરેલા ૧ સેમીનાર MBAનાં વિધાર્થીઓ માટેનો અને બીજો ત્યાંના પ્રોફેસર માટેનો "સર્જનાત્મક સંવાદ્કલા" નામનો સેમીનાર કરેલો તે ડો. પાઈ સર અને ત્યાંના પ્રોફેસરોને પસંદ પડેલો. ITMમાં સારા સેમીનાર હોલમાં આ ટ્રેઈનીંગ શો. થયેલો. મને પણ ત્યાંનું વાતાવરણ ગમી ગયેલું. આ સેમિનારની કેટલીક યાદો ઉપરની વિડીયોમાં તમે જોઈ શકો છો.
૨ અઠવાડિયા પહેલાં મને ડો. પાઈએ ITMમાં સ્વામી વિવેકાનંદના જીવન અને કથન પર આધારિત " યોગદાન વ્યક્તિત્વ વિકાસ" નામનાં ભવ્ય કોર્સ કરવા માટે આમંત્રણ આપ્યું. આ કોર્સ આજના યુવાનોને ઉપભોક્તા વ્યક્તિમાંથી ઉપયોગી વ્યક્તિ બનાવવા માટેનો અભૂતપૂર્વ કોર્સ છે.
|
Comments
Post a Comment