Posts

Showing posts with the label પર્સનાલિટીડેવલપમેન્ટ

99.99%ILEનું દુઃખ: ડૉક્ટર ન બનવું પડે તે માટે આત્મહત્યા!

Image
  99.99 પર્સન્ટાઇલનું દુઃખ: કારકિર્દીનો રસ્તો 'પોતાનો' કે 'પારકો'? લેખક: નીરવ ગઢાઈ, એન્જિનિયર-શિક્ષક, પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી વિચલિત કરી દેનારો એક અંત: અનુરાગ બોરકરની કથા તાજેતરમાં જ એક અત્યંત દુઃખદ સમાચારે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. મહારાષ્ટ્રના અનુરાગ અનિલ બોરકર નામના 19 વર્ષના એક યુવાને જીવન ટૂંકાવી લીધું. અનુરાગે દેશની સૌથી મુશ્કેલ ગણાતી NEET UG પરીક્ષામાં 99.99 પર્સન્ટાઇલ મેળવીને સફળતાનું શિખર સર કર્યું હતું. MBBSમાં તેનું એડમિશન નિશ્ચિત હતું. પરંતુ જે દિવસે તેને મેડિકલ કોલેજ જવા માટે નીકળવાનું હતું, તે જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી. તેની પાછળ છોડેલી નોટમાં માત્ર આટલું જ લખ્યું હતું: "મારે ડૉક્ટર નથી બનવું..." આ માત્ર એક વિદ્યાર્થીની આત્મહત્યા નથી; આ આપણા સમાજની શિક્ષણ પ્રણાલી, વાલીપણાની રીત અને સફળતાની વ્યાખ્યા પર એક મોટો પ્રશ્નાર્થ છે. અનુરાગે આ પગલું શા માટે ભર્યું? શું તેના સંબંધોમાં કોઈ સમસ્યા હતી? કે પછી તે કોઈ માનસિક યાત્રામાંથી પસાર થઈ રહ્યો હતો? આજે આપણે તેની વાસ્તવિક પીડા વિશે નિશ્ચિતપણે કહી શકીએ નહીં. પરંતુ એક વાત સ્પષ્ટ છે: ...