Posts

Showing posts from September, 2025

તમારી પ્રતિમા, (ઈમેજ) વિકસાવવા કરતા તમારી પ્રતિભા વિકસાવવા માટે કામ કરવું ૧૦૦૦ ઘણું સારું છે!

Image
🔥 પ્રતિભા VS પ્રતિમા: તમે શેમાં રોકાણ કરી રહ્યા છો? લોકોને પ્રભાવિત કરવા અને "દેખાડો" કરવા પાછળના દોડધામથી સાવધાન! તમારા કારકિર્દીના મૂળ ને મજબૂત કરવા માટે પ્રતિભા (Talent/Skill) પર ધ્યાન કેન્દ્રિત કરવું શા માટે જરૂરી છે, તે જાણીએ. કચ્છથી મળેલો એક અગત્યનો બોધપાઠ તાજેતરમાં, કચ્છના માંડવી ખાતે લોહાણા સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારંભ માં મને યુવાનો સમક્ષ કારકિર્દીની પસંદગી પર બોલવાની તક મળી. મારું કામ પૂરું થયા પછી, મેં જ્યારે મારા કાર્યને "સમાજ અને કચ્છ મિત્ર દ્વારા સ્વીકારાયું" તેમ કહીને મારી ઈમેજ (પ્રતિમા) વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું, ત્યારે મને એક ગંભીર સત્ય સમજાયું. મારું કાર્ય લોકો સુધી પહોંચાડવું એ ખોટું નથી, પરંતુ જો મારું એકલું લક્ષ્ય માત્ર ઈમેજ બનાવવાનું બની જાય, તો મારું સમગ્ર જીવન અને મારી કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે. બાય ધ વે, માંડવીનો આ આખો પ્રોગ્રામનો વિડિયો રેકોર્ડ થયો છે અને youtubeમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે.  તેનો વિષય છે "કારકિર્દી કેવી રીતે પસંદ કરશો?" નીચેની લીંક ને ક્લિક કરવાથી આ વિડીયો જ...

99.99%ILEનું દુઃખ: ડૉક્ટર ન બનવું પડે તે માટે આત્મહત્યા!

Image
  99.99 પર્સન્ટાઇલનું દુઃખ: કારકિર્દીનો રસ્તો 'પોતાનો' કે 'પારકો'? લેખક: નીરવ ગઢાઈ, એન્જિનિયર-શિક્ષક, પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી વિચલિત કરી દેનારો એક અંત: અનુરાગ બોરકરની કથા તાજેતરમાં જ એક અત્યંત દુઃખદ સમાચારે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. મહારાષ્ટ્રના અનુરાગ અનિલ બોરકર નામના 19 વર્ષના એક યુવાને જીવન ટૂંકાવી લીધું. અનુરાગે દેશની સૌથી મુશ્કેલ ગણાતી NEET UG પરીક્ષામાં 99.99 પર્સન્ટાઇલ મેળવીને સફળતાનું શિખર સર કર્યું હતું. MBBSમાં તેનું એડમિશન નિશ્ચિત હતું. પરંતુ જે દિવસે તેને મેડિકલ કોલેજ જવા માટે નીકળવાનું હતું, તે જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી. તેની પાછળ છોડેલી નોટમાં માત્ર આટલું જ લખ્યું હતું: "મારે ડૉક્ટર નથી બનવું..." આ માત્ર એક વિદ્યાર્થીની આત્મહત્યા નથી; આ આપણા સમાજની શિક્ષણ પ્રણાલી, વાલીપણાની રીત અને સફળતાની વ્યાખ્યા પર એક મોટો પ્રશ્નાર્થ છે. અનુરાગે આ પગલું શા માટે ભર્યું? શું તેના સંબંધોમાં કોઈ સમસ્યા હતી? કે પછી તે કોઈ માનસિક યાત્રામાંથી પસાર થઈ રહ્યો હતો? આજે આપણે તેની વાસ્તવિક પીડા વિશે નિશ્ચિતપણે કહી શકીએ નહીં. પરંતુ એક વાત સ્પષ્ટ છે: ...

હવે કોઈની પર્સનાલિટી જ રહી નથી કે પછી શું બધા માનસિક રીતે બીમાર થઈ ગયા છે કે પૈસા બનાવવાનું ષડયંત્ર છે ?

Image
માણસ: પર્સનાલિટી કે ફક્ત રોગનિદાન? સાત વર્ષ પહેલા હું ભારતની શ્રેષ્ઠ માનસિક બીમારીઓની હોસ્પિટલ નિમહંસ, બેંગ્લોર ગયો હતો. એક દિવસ હું બસમાં બેઠો, પત્ની અને પુત્ર સાથે મુસાફરી કરી રહ્યો હતો. અચાનક મારી આસપાસ ચાર-પાંચ લોકો ઊભા થઈ ગયા. તેઓ એટલા ચાલાકીભર્યા હતા કે ભીડમાં મને ઘેરીને મારો મોબાઇલ અને પાકીટ છીનવી ગયા. બસ ઉભી રહી, મેં ચીસો પાડી મદદ માટે, પોલીસ ચોકીમાં દોડ્યો—પણ ત્યાં નિરાશા મળી. એક ચોકી બીજા પર જવાબદારી ઠાલવતી રહી. ફરિયાદ ત્યારે જ નોંધાઈ જ્યારે રાજકીય ઓળખનો ફોન ગયો. ગુનેગાર ક્યારેય પકડાયા નહીં. વર્ષો સુધી પોલીસના ફોન આવતાં રહ્યાં કે “ફરિયાદ પાછી ખેંચી લો.” અંતે મેં એ પણ કરી નાખ્યું. પરંતુ આ ઘટનાનો સચ્ચો પ્રભાવ પછી દેખાયો— જ્યારે પણ હું ભીડમાં જાઉં, મારો હાથ આપોઆપ પાકીટ પર જતો, મોબાઇલને ચીપકીને પકડી લઉં. અંદરથી ડર ઘર કરી ગયો — “હવે કોઈ લઈ ન જાય?” આ ડર મને વારંવાર સતાવવા લાગ્યો. જો હું મનોરોગ તબીબ પાસે ગયો હોત તો કદાચ એ કહેત—“આ તો OCD છે (Obsessive Compulsive Disorder).” તમે દવા લો.  પણ મેં દવા લીધી નહીં. હું હસતો રહ્યો. જ્યારે હાથ મોબાઇલ પર જતો ત્યારે ...